એકવાર એક જંગલમાં એક ગધેડો અને વાઘ સામ-સામે આવી ગયા.
ગધેડાએ વાઘને કહ્યું કે આ ઘાસની જેમ કેમ લાલઘૂમ થઈને ફરો છો?
વાઘે કહ્યું ઘાસ લાલ નથી તે લીલું છે.
આથી ગધેડાએ કહ્યું ના ઘાસ લાલ જ છે તમને ખબર ન પડે!
વાઘે કહ્યું ઘાસ લીલા રંગનું જ છે.
પણ ગધેડો માન્યો જ નહી. આથી વાઘને ગુસ્સો આવ્યો તે વધારે જોરથી બોલ્યો ઘાસનો રંગ લીલો છે.
પણ ગધેડો માન્યો જ નહી એટલે આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સુધી લઈ જવાનું નક્કી થયું
ઘાસનો રંગ કયો? આ પ્રશ્ન લઈ ગધેડો અને વાઘ જંગલના રાજા સિંહના દરબારમાં ગયા.
રાજાએ કહ્યું બોલો શું સમસ્યા છે?
એટલે ગધેડો બોલ્યો, મહારાજ આ ઘાસનો કલર લાલ છે છતાં આ વાઘભાઈ માનવા તૈયાર જ નથી. તેઓ ઘાસને લીલા રંગનું કહે છે! હવે તમે જ કહો કે ઘાસનો રંગ કયો છે…!?
થોડો વિચાર કર્યા પછી રાજા એ કહ્યું કે ગધેડો સાચો છે. ઘાસનો રંગ લાલ જ છે. આવા ફાલતું પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બર્બાદ કરવા બદલ વાઘને એક વર્ષ માટે જંગલમાંથી બહાર રહેવાની સજા ફટકારવામાં આવે છે…!!
આ સાંભળી ગધેડો તો ખુશ થઈ ગયો અને રાજાની જય બોલાવતો ત્યાંથી ચાલ્યો ગયો. પણ વાઘ ત્યાં જ ઉભો રહ્યો અને રાજાને કહ્યું કે મને સજા કબૂલ છે પણ કહીકત એ જ છે કે ઘાસનો રંગ લીલો જ છે…!
આ સાંભળી રાજાએ કહ્યું કે મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો જ છે…!
આથી વાઘે કહ્યું તો હું સાચો હોવા છતાં મને સજા કેમ કરવામાં આવી?
આ સાંભાળી જંગલના રાજા સિંહે જે કહ્યું તેમાં એક સુંદર બોધ છે…!
સિંહે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું જ છે પણ તારો વાંક એટલો જ છે કે તે ગધેડા જોડે ચર્ચામાં ઉતરી તારો સમય બર્બાદ કર્યો…
સાર એટલો જ છે કે સામેવાળાની સામ્યતા જોઇને તેની સાથે ચર્ચા કરવી જોઇએ. ચર્ચા હંમેશાં બે બૈદ્ધિકો વચ્ચે ખૂબ શાંતિથી થવી જોઇએ. ગમે તે જોડે ચર્ચા કરવાથી માત્ર સમય અને આપણી શક્તિનો જ વ્યય થાય છે…!!