બાળ વિભાગ

મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું...

શિક્ષણ માટે શહીદ થનાર વીરબાળા કાલીબાઈ ભીલ...

પોલીસ અધિકારીએ ગુસ્સામાં આવી પોતાની પિસ્તોલ કાઢી અને કાલીબાઈની છાતી પર ગોળી મારી. કાલીબાઈ ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડી...