ભગવાનને પ્રાર્થના કરતા પહેલાં...! તો આપણી પ્રાર્થના અચૂક ફળે છે...!!

19 May 2023 11:27:41

bodh katha
 
 
એક ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. તમામ જીવોનું જીવન દુષ્કર બન્યું. ગ્રામજનોએ નક્કી કર્યું એક દિવસ આપણે સૌ સમૂહમાં ભગવાન પાસે વરસાદ માટે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરવાનો દિવસ નક્કી થયો અને ગ્રામજનો ગામના મુખ્ય મંદિરે પ્રાર્થના કરવા માટે એકઠા થયા. ગ્રામજનોમાં એક નાની બાળકી પણ હતી જે પોતાની સાથે છત્રી પણ લાવી હતી. આ જાેઈ ગ્રામજનોને આશ્ચર્ય થયું અને કેટલાક તો તેની પર હસ્યા પણ ખર્યા અને કહ્યું, આટલા હળાહળ દુષ્કાળમાં તું છત્રી લઈને આવી છે ?
 
આ સાંભળી પેલા નાની બાળકીએ જવાબ આપ્યો કે આપણે પ્રાર્થના કરીશું તો વરસાદ નહીં આવે ? અને વરસાદ આવશે તો હું ભીંજાઈ જઈશ અને મને શરદી થઈ જશે.
 
બાળકીને પરમાત્મા પર પૂરી શ્રદ્ધા હતી માટે તે ઘરેથી છત્રી લઈને આવી હતી.
 
બીજા લોકોને ભગવાન પર શ્રદ્ધા-વિશ્વાસ ન હતો માટે જ તેઓ છત્રી લીધા વગર પ્રાર્થના કરવા દોડી આવ્યા હતા.
આપણા જીવનમાં આપણને ભગવાન પર પેલી બાળકી જેવી શ્રદ્ધા છે ખરી ? ભગવાન કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા મજબૂત ન હોવાને કારણે આપણી પ્રાર્થના સફળ થતી નથી અને આપણે દોષ પરમાત્માનો કાઢીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરતા પહેલાં તેમના પર પૂરેપૂરી શ્રદ્ધા હોવી જરૂરી છે. તો જ આપણી પ્રાર્થના ફળે છે.
 
 
 
આ બોધ કથા વાંચવી ગમશે...
 
બોધકથા । મુર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો.
બોધકથા । કાગડાની મુશ્કેલી । જ્યારે મોરે કહ્યું હું કાગડો બનવા માંગુ છુ!
બોધકથા । સંગતની અસર । જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે ...
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

Twitter - https://twitter.com/sadhanaweekly
 
 
Powered By Sangraha 9.0