સમાજોદય । ધગધગતા રણની વચ્ચે મહાદેવનો ચમત્કાર: ઓમાનના આ ૧૨૫ વર્ષ જૂના શિવમંદિરમાં ક્યારેય નથી સુકાતો કૂવો!
ઓમાનની રાજધાની મસ્કતમાં પહોંચ્યા ત્યારે માધ્યમોમાં ઓમાનમાં વસતા ભારતીયોની સાથે અહીંના ઐતિહાસિક એવા મોતીશ્વર શિવમંદિરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ મંદિર ન માત્ર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે બલ્કે, અરબ જગતમાં ભારતીય વિરાસતની સદીઓ જૂની મજબૂતીનું પણ સાક્ષી છે. આ એક મુસ્લિમ મુલકમાં થયેલો હિન્દુત્વનો સમાજોદય છે...