આપણી પાસે વૈચારિક ફાનસ છે પણ દિલમાં દીવા નથી પ્રગટતા
ચરકમુનિ એકવાર સંશોધનાર્થે વનમાં ફરી રહ્યા હતા. દરેક વનસ્પતિની સાધક-બાધક તપાસ કરી રહ્યા હતા. ત્યાં જ એમની નજર એક જુદા પ્રકારના ફૂલછોડ પર પડી. એકીશ્ર્વાસે તેઓ એ તરફ ધસી ગયા. પણ અચાનક પાસે જઈ ઊભા રહી ગયા. શિષ્યે પૂછ્યું, ગુરુવર્ય, કેમ અટકી ગયા ? તો મુનિએ કહ્યું કે, આ વનવગડો નથી પણ કોઈનું ખેતર છે. એના માલિકને પૂછ્યા વગર આપણાથી આ ફૂલને અડાય પણ નહીં. શિષ્ય કહે, તમે આ સંશોધન રાજાની આજ્ઞાથી અને લોકાહિતાર્થે કરો છો, વળી તમે રાજવૈદ્ય પણ છો. પણ મુનિ ટસના મસ ન થયા. અને કહ્યું કે માલિકને પૂછ્યા વગર વસ્તુ ..