જીવનગાથા

પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!

સેવકે જઈને તરત કહ્યું, `બાઈ સાહેબ, ખંડેરાવ મહારાજ મોરચા પર જવા નીકળ્યા છે. ઊંધા પડવામાં છે. તેઓ હોશો-હવાસમાં નથી. ખૂબ નશો કર્યો છે. ઘોડા પર પણ માંડ માંડ બેસી શકતા હતા. બાઈસાહેબ, આપ ગમે તેમ કરીને તેમને રોકો, નહીંતર અનર્થ થઈ જશે!'..

પ્રકરણ – ૭ । હોળકર વંશમાં એક નવા મહેમાનનું આગમન થવાનું હતું

`દીકરી.. દીકરી... ખંડેરાવે ભલે ચાર જ દિવસ વ્યસનનો ત્યાગ કર્યો હોય. પણ અમારા માટે તો એ બહું મોટું છે. આટલાં વરસોમાં અમે મા-બાપ જે ના કરી શક્યાં એ તેં કરી બતાવ્યું...

પ્રકરણ - ૬ । સૂબેદારની શમશેર પર શત્રુના રક્તનાં ચિહ્નો હોય છે, જ્યારે તમારી શમશેર પર તો મદ્યનાં ચિહ્નો છે

`કેમ સાચું કહ્યું એટલે કડવું લાગ્યું? સત્યનો નશો આવો હોય છે, એ ભલભલા નશા ઉતારી દે. તમે તમારા કૂળ માથે કલંક છો એ યાદ રાખજો.'...

પ્રકરણ - ૫ । ખંડેરાવ અને અહલ્યાના લગ્નનું રૂડું ટાણું આવી પહોંચ્યું...

આ ઐતિહાસિક લગ્નમાં કુલ પ્રવાસ અને સામાન પેટે રૂપિયા ૨૭૯૫ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ જમાનામાં આ ખર્ચ એટલે અત્યારનો કરોડો રૂપિયાનો ખર્ચ. એ વખતે સોનું માત્ર ૧૩ રૂપિયાને ૧૦ આનાનું તોલો મળતું હતું. મલ્હારરાવ હોળકરના પુત્રના હાર માટે કુલ ૨૦૦ તોલા સોનું અલગથી ખરીદાયેલું અને વર-વધૂને વરઘોડા સમયે ૪૦૨ રૂપિયાની અધધ ભેટ મળી હતી...

પ્રકરણ – ૪ | ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી, સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે

માણકોજી બોલ્યા, `હા, સૂબેદાર સાહેબ! તમારી અને અમારી કોઈ તુલના જ થાય તેમ નથી. અને મારી દીકરી તો શ્યામ છે, અલ્લડ છે અને બોલકી છે. તમારા રાજમહેલમાં તો કોઈ રૂપાળી અને ભડભાદર કન્યા શોભે! વિચાર કરી લેજો.'..

પ્રકરણ – ૩ | આ છોકરી મને ખૂબ ગમી ગઈ છે. હું એને મારી પુત્રવધૂ બનાવીશ

અહલ્યા રાજીના રેડ થઈ ગઈ. એ દોડીને તરત જ ખેતરની ઝૂંપડીમાંથી તીર-કામઠું લઈ આવી અને બોલી, `જુઓ, હું તમને બતાવું કે હું કેવી તીરંદાજી કરું છું. બોલો, ક્યાં નિશાન તાકું!'..

પ્રકરણ - ૨ | આ દીકરીમાં તેજ છે, તરવરાટ છે અને તરખાટ પણ છે. મને તો એનું નામ અહલ્યા જ સૂઝે છે

માણકોજી કહેતા, `માત્ર બકરીને નહીં બેટા, તને આ સૃષ્ટિ પર જે કોઈ પણ પશુ, પંખી, જંતુ દેખાય છે એ બધામાં જીવ હોય. બધાને આનંદ, સુખ, દુઃખ અને પીડા બધું ય થાય.'..

પ્રકરણ – ૧ | શૂરવીર સૂબેદાર મલ્હારરાવ હોળકરનો દીકરો તોફાની અને અસંસ્કારી પાક્યો

મલ્હારરાવની આંખો છલકાઈ ઊઠી. ગૌતમાબાઈ ગંભીરતાથી બોલ્યાં, `તમે ખોટા છો સ્વામી. હોળકર પરિવારનું નામ જરૂર રોશન થશે. ઇતિહાસમાં અમર થઈ જશે આ વંશ. મને ખાતરી છે.'..

લોકમાતા અહલ્યાબાઈનું જીવનકવન નવલકથારૂપે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે...

કોણ હતાં લોકમાતા અહલ્યાબાઈ હોળકર? વર્તમાન સમયમાં આ જીવનકથાનું તાત્પર્ય શું ?..

…જ્યારે સાવરકરજીએ અંગ્રેજોનો જાપતો તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું | Vinayak Damodar Savarkar

જે દિવસે સાવરકરજીએ અંગ્રેજોની બંદીને તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું એ દિવસ હતો ૮મી જુલાઈ ૧૯૧૦. પોતાના આ પ્રયાસમાં સાવરકરજી ભલે અસફળ થયા પણ તેમની સમુદ્રમાં મારેલી એ છલાંગનું એક ઐતિહાસિક મહત્વ છે...

Biography Of Birsa Munda | અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર આદિવાસી વીરપુરૂષ ભગવાન બિરસા મુંડાની કહાની

Biography Of Birsa Munda | એક સમય જ એવો આવ્યો કે બિરસાના માતા-પિતા અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો. કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પુજાય છે. ધરતી આબા એટલે કે ‘જગત પિતા’ તરીકે એક એક આદિવાસી એમને માન આપે છે...

પ્રકરણ-૩ । આપ્ટે સંઘના સક્રિય કાર્યકર્તા બની ગયા. થોડા સમય પછી સંઘ કાર્યાલય એમનું ઘર બની ગયું.

યાદવરાવને સંઘજીવનનો પહેલો ગણવેશ બાબાસાહેબે જ બનાવી આપ્યો હતો...

પ્રકરણ ૨ | ...અને ઉમાકાન્તે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો

આપ્ટે માસ્તરે શાંતિથી કહ્યું, ‘સાહેબ ! મને માફ કરો. તમે મારા કરતાં મોટા છો. તમારું અપમાન કરવાની મારી લગીરેય કલ્પના નથી, છતાંય કહું છું કે જે શાળામાં લોકમાન્ય ટિળક જેવા મહાન દેશભક્તનું નામ લેવાની પણ મનાઈ હોય એ શાળામાં એક પળ પણ રહેવાની મારી પોતાની ઇચ્છા નથી.’ આવો સણસણતો જવાબ આપી, પોતાનું રાજીનામું આચાર્યના મેજ પર મૂકી તેઓ શાળાની બહાર ચાલ્યા ગયા...

પ્રકરણ - ૧ । મુખ્ય શિક્ષકે આખા ક્લાસ વચ્ચે ઉમાકાન્તને ઉતારી પાડતાં કહ્યું, "જોયો મોટો દેશભક્ત, આ મહાશયને લોકમાન્ય ટિળકનું ભાષણ સાંભળવા જવું છે

ખૂબ વાર વિચાર કર્યા પછી મને મારી જાત પર જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં મારી પોતાની ભર્ત્સના કરી, કહ્યું, ‘આવા કમજોર મનથી શું થવાનું છે ? સાહસ ન હોય તો દેશસેવાનું કોઈ કામ થઈ શકે નહિ. જે લોકો દેશસેવા કરે છે, તેઓ સંકટોનું પણ સ્વાગત કરે છે. એનો સામનો કરે છે અને એ પછી જ એમના પગ આગળ ઊપડે છે, પણ મારામાં તો આવી લાયકાત નથી. હું નિરાશ થઈ ગયો...