જીવનગાથા

પ્રકરણ – ૨૩ । એ અગ્નિની જ્વાળાઓમાં લપેટાતા એમના દેહની યાદ આજે ય અમને દઝાડે છે

વિદ્વાનોની વાત અહલ્યાબાઇને ગળે ઊતરી. એ પછી શાસ્ત્રીઓએ તેમને વિનંતી કરી કે, `માતોશ્રી, આપને મહાદેવની આણ છે. આપ હવે અન્નજળના ત્યાગનો નિર્ણય ભૂલીને ભોજન-પાણીગ્રહણ કરી લો.'..

પ્રકરણ – ૨૨ । ચન્દ્રાવત અહલ્યાબાઈના શાસનકાળમાં પહેલો અને છેલ્લો બંડખોર નીવડયો

જમાઈની અંતિમ વિધિ પૂર્ણ થઈ. દીકરી પણ એમની સાથે સાથે રાખ થઈ ગઈ. એ જ દિવસથી અહલ્યાબાઈએ મૌન ધારણ કરી લીધું. એક કક્ષમાં પુરાઈ ગયાં હતાં. દાસીઓ ભોજન લઈને જતી પણ તેઓ માત્ર બે ઘૂંટડા દૂધ જ પીતાં. આમ ને આમ ત્રણ-ચાર દિવસ વીતી ગયા...

પ્રકરણ – ૨૧ । ...અને માતોશ્રીની રાજધાની ઇન્દોરથી મહેશ્વર ખસેડાઈ

પૂર્ણપણે જાગૃત થઈને અહલ્યાબાઈએ મરાઠાઓની એકતા એ જ સમયની માંગ છે એમ સમજીને અથાક પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ..

પ્રકરણ – ૨૦ । બાસાહેબ, મને આ મહેલમાં આપણા પૂર્વજોની લાશો દેખાય છે

કાશીના એક વિદ્વાન પંડિત બોલ્યા, `પુરાણપ્રસિદ્ધ રાજા સહસ્રાર્જુનની રાજધાની પણ આ જ સ્થળ પર હતી. આથી તેનું નામ સહસ્રબાહુ એવું પણ છે.'..

પ્રકરણ – ૧૯ । સતીની ચિતાની આગ કરતાં અહલ્યાબાઈ જીવનની જે આગમાં બળ્યાં છે એ વધારે દાહક છે

અહલ્યાબાઈ સત્તા પર આવ્યાં ત્યારે કેવળ એક સ્ત્રી હોવાના કારણે એક રાજ્યકર્તા બનવા માટે તેમને અનેક સંકટોનો સામનો કરવો પડ્યો. પોતાના કર્તૃત્વથી અહલ્યાબાઈએ સિદ્ધ કરી બતાવ્યું કે, સ્ત્રી પણ સક્ષમ, સફળ રાજ્યર્ક્તા બની શકે છે...

પ્રકરણ – ૧૮ । અરેરે, જતી જિંદગીએ મારાથી આ શું થઈ ગયું, સ્વર્ગસ્થ મલ્હારરાવની સંપત્તિ પર નજર બગાડી?

સાવ ઢીલા થઈને બેઠેલા દાદાસાહેબે તેમને જોયા પણ કંઈ આવકાર આપ્યો નહીં. આખરે તાત્યા જ બોલ્યા, `દાદાસાહેબ, હવે છાતી કાઢીને બેસી જાવ. હું એક એવો ઉપાય લઈને આવ્યો છું કે તમે રાજી થઈ જશો.' ..

શુદ્ધ સાત્ત્વિક પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી ચંદ્રકાંતભાઈ સોની

જયારે વેન્ટીલેટર પર હતા ત્યારે પોતાનાં અર્ધાંગિનીને કહેતા કે, બીજી બાધા આખડીઓ કરવાનું છોડી દઈને માત્ર જગતજનની ભારતમાતાની ભક્તિ કર. તેઓના જીવનમાં ૨૩ના અંકનો અનોખો યોગ રહ્યો. જન્મ, લગ્ન, નોકરી અને અકસ્માત થવાની તારીખ ૨૩ જ હતી. એનાથી આગળ સંઘ સ્થાપનાના ૨૩મા વર્ષે જન્મ થયો અને બીજા ૨૩ વર્ષ પછી એટલે કે જીવનના ૨૩મા વર્ષે સંઘ સાથે જોડાયા હતા...

દામુભાઈ પંચાસરા - જેમને દુઃખમાં દુઃખ નહીં ને સુખમાં આસક્તિ નહીં

શિશુકાળથી જ મુંબઈમાં તેઓ શાખામાં જોડાયા. ત્યારબાદ વિરમગામમાં સંઘના સ્વયંસેવક તરીકે બાલ્યકાળથી લઈ તરૂણાઈનો સમય પસાર થયો. ગાંધીહત્યા બાદ વિરમગામથી કર્ણાવતી કેટલાક સ્વયંસેવકો સંઘ પર આવેલ પ્રતિબંધનો વિરોધ કરવા આવેલા, તેમાંના એક હતા- દામુભાઈ. ..

સંઘગુણોના ભંડાર નારાયણરાવ ભંડારી | જે સંઘને જીવી ગયા

રમૂજી સ્વભાવના નાના જે રીતે સંઘને જીવી ગયા, તેમણે વર્તમાન પેઢીને પોતાના ઉદાહરણથી એક અભિનવ રાહ ચિંધ્યો છે. તે સદૈવ પ્રેરક રહેશે...

પ્રકરણ – ૧૭ । આપ જીતશો તો લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા અને હારશો તો એમ થશે કે સ્ત્રીઓથી હાર્યા

`રાજશ્રી અહલ્યાબાઈ હોળકર, માધવરાવ પેશવાના આપને જાજેરા આશીર્વાદ. આપનો પત્ર અમને મળ્યો. આપે લખ્યું છે કે, અમારા કાકા શ્રી રઘુનાથરાવ પેશવા અને આપના દીવાન ગંગાધર તાત્યા સાથે મળીને આપની સંપત્તિ ટાંચમાં લેવાનું ષડયંત્ર કર્યું છે. અમે એ પણ જાણ્યું કે,.....

પ્રકરણ – ૧૬ । તાત્યા અને રઘુનાથદાદાના ષડયંત્રને પછાડી દેવાની યોજના બની રહી હતી

`અરે, બાઈસાહેબ, એ બધી ચિંતા કરવાની તમારે કયાં જરૂર છે. છોકરાઓ તો અમે જોયેલા છે. તમે એકવાર હા કહો એટલે બસ! પછીની બધી વ્યવસ્થા હું કરી લઈશ.'..

પ્રકરણ – ૧૫ । હોળકરોની સંપત્તિ પચાવી પાડવા વિશ્વાસુઓ જ વેરી બન્યા

મામંજીએ મને શીખવ્યું છે કે દગાબાજને કદી માફ ના કરવો. હું એમને છોડીશ નહીં. એટલે જ એ ઘણા સમયથી મને મળવાનો સમય માંગી રહ્યા છે. હવે તો એ છે અને હું છું.' અહલ્યાબાઈની આંખોમાં તિરસ્કારની લાગણી અંજાઈ ગઈ...

પ્રકરણ – ૧૪ । ડોળાને જાણે બહાર ફંગોળવા હોય એમ આંખો પહોળી કરીને માલેરાવે માથું ઢાળી દીધું

થોડીવાર ઓરડામાં સોપો પડી ગયો. અહલ્યાબાઈએ માલેરાવના ઢળી ગયેલા મસ્તકને સીધું કર્યું અને રાડ પાડતાં હોય એમ બોલ્યા, `માલેરાવ.... બેટા માલેરાવ...!'..

પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં

મુખ્ય વૈદ્યરાજ બોલ્યા, `માત્ર જ્વરનો રોગ નથી. તેમને ચિત્તભ્રમ પણ થઈ ગયું છે. તેમના મનમાં એવું કંઈક ચાલી રહ્યુંં છે જે ઔષધીઓની અસર થવા દેતું નથી. કોઈ વાત તેમને અંદર ને અંદર કોરી રહી છે. એના કારણે દિવસે ને દિવસે તેમની તબિયત બગડતી જાય છે.' ..

પ્રકરણ - ૧૨ માલેરાવે એક નિર્દોષ માંત્રિકને જાહેરમાં કોરડા મારીને મારી નાંખ્યો

અહલ્યાબાઈ બોલ્યા, `કેટલું છુપાવીશ તું! મારા જાણવામાં આવ્યું છે કે પ્રજા બહુ દુઃખી છે અને માલેરાવે હવે સાવ ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તું એક વાત યાદ રાખ. મને કહેવામાં જરાય સંકોચ ના રાખીશ. મારા માટે પુત્રનાં પહેલાં મારી પ્રજા છે. માલેરાવ વિશે હું બધું જ જાણું છું. જે થયું હોય એ બધું જ કહે!'..

પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ

સગુણાએ કહ્યું, `સાચી વાત છે તારી. માલેરાવ અને સૂબેદારી એટલે તો જાણે લીમડાના ઝાડ પર કારેલું. પ્રજા પહેલાંથી જ એમનાથી દુઃખી છે. એ રાજકુંવર તરીકે આટલો બધો જુલમ કરતા હતા તો રાજા તરીકે તો શું નહીં કરે!' ..

પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો

આખું ય માળવા એમના અંતિમ સંસ્કારમાં ઊમટ્યું હતું. રડતી-આક્રંદ કરતી વિશાળ મેદની વચ્ચે તેમની અંતિમ વિધિ સમાપ્ત થઈ. મલ્હારરાવનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો...

પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું

`પિતાજી, આ સૌની ઇચ્છાને હું માન્ય રાખું છું. મને પણ લાગે છે કે, સતી થવા કરતાં સમાજ અને રાજ્યના ભલા માટે કામ કરવું વધારે જરૂરી છે. હું મારો નિર્ણય પાછો ખેંચું છું.'..

પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!

સેવકે જઈને તરત કહ્યું, `બાઈ સાહેબ, ખંડેરાવ મહારાજ મોરચા પર જવા નીકળ્યા છે. ઊંધા પડવામાં છે. તેઓ હોશો-હવાસમાં નથી. ખૂબ નશો કર્યો છે. ઘોડા પર પણ માંડ માંડ બેસી શકતા હતા. બાઈસાહેબ, આપ ગમે તેમ કરીને તેમને રોકો, નહીંતર અનર્થ થઈ જશે!'..

પ્રકરણ – ૭ । હોળકર વંશમાં એક નવા મહેમાનનું આગમન થવાનું હતું

`દીકરી.. દીકરી... ખંડેરાવે ભલે ચાર જ દિવસ વ્યસનનો ત્યાગ કર્યો હોય. પણ અમારા માટે તો એ બહું મોટું છે. આટલાં વરસોમાં અમે મા-બાપ જે ના કરી શક્યાં એ તેં કરી બતાવ્યું...

પ્રકરણ - ૬ । સૂબેદારની શમશેર પર શત્રુના રક્તનાં ચિહ્નો હોય છે, જ્યારે તમારી શમશેર પર તો મદ્યનાં ચિહ્નો છે

`કેમ સાચું કહ્યું એટલે કડવું લાગ્યું? સત્યનો નશો આવો હોય છે, એ ભલભલા નશા ઉતારી દે. તમે તમારા કૂળ માથે કલંક છો એ યાદ રાખજો.'...

પ્રકરણ - ૫ । ખંડેરાવ અને અહલ્યાના લગ્નનું રૂડું ટાણું આવી પહોંચ્યું...

આ ઐતિહાસિક લગ્નમાં કુલ પ્રવાસ અને સામાન પેટે રૂપિયા ૨૭૯૫ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ જમાનામાં આ ખર્ચ એટલે અત્યારનો કરોડો રૂપિયાનો ખર્ચ. એ વખતે સોનું માત્ર ૧૩ રૂપિયાને ૧૦ આનાનું તોલો મળતું હતું. મલ્હારરાવ હોળકરના પુત્રના હાર માટે કુલ ૨૦૦ તોલા સોનું અલગથી ખરીદાયેલું અને વર-વધૂને વરઘોડા સમયે ૪૦૨ રૂપિયાની અધધ ભેટ મળી હતી...

પ્રકરણ – ૪ | ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી, સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે

માણકોજી બોલ્યા, `હા, સૂબેદાર સાહેબ! તમારી અને અમારી કોઈ તુલના જ થાય તેમ નથી. અને મારી દીકરી તો શ્યામ છે, અલ્લડ છે અને બોલકી છે. તમારા રાજમહેલમાં તો કોઈ રૂપાળી અને ભડભાદર કન્યા શોભે! વિચાર કરી લેજો.'..

પ્રકરણ – ૩ | આ છોકરી મને ખૂબ ગમી ગઈ છે. હું એને મારી પુત્રવધૂ બનાવીશ

અહલ્યા રાજીના રેડ થઈ ગઈ. એ દોડીને તરત જ ખેતરની ઝૂંપડીમાંથી તીર-કામઠું લઈ આવી અને બોલી, `જુઓ, હું તમને બતાવું કે હું કેવી તીરંદાજી કરું છું. બોલો, ક્યાં નિશાન તાકું!'..

પ્રકરણ - ૨ | આ દીકરીમાં તેજ છે, તરવરાટ છે અને તરખાટ પણ છે. મને તો એનું નામ અહલ્યા જ સૂઝે છે

માણકોજી કહેતા, `માત્ર બકરીને નહીં બેટા, તને આ સૃષ્ટિ પર જે કોઈ પણ પશુ, પંખી, જંતુ દેખાય છે એ બધામાં જીવ હોય. બધાને આનંદ, સુખ, દુઃખ અને પીડા બધું ય થાય.'..

પ્રકરણ – ૧ | શૂરવીર સૂબેદાર મલ્હારરાવ હોળકરનો દીકરો તોફાની અને અસંસ્કારી પાક્યો

મલ્હારરાવની આંખો છલકાઈ ઊઠી. ગૌતમાબાઈ ગંભીરતાથી બોલ્યાં, `તમે ખોટા છો સ્વામી. હોળકર પરિવારનું નામ જરૂર રોશન થશે. ઇતિહાસમાં અમર થઈ જશે આ વંશ. મને ખાતરી છે.'..

લોકમાતા અહલ્યાબાઈનું જીવનકવન નવલકથારૂપે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે...

કોણ હતાં લોકમાતા અહલ્યાબાઈ હોળકર? વર્તમાન સમયમાં આ જીવનકથાનું તાત્પર્ય શું ?..

…જ્યારે સાવરકરજીએ અંગ્રેજોનો જાપતો તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું | Vinayak Damodar Savarkar

જે દિવસે સાવરકરજીએ અંગ્રેજોની બંદીને તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું એ દિવસ હતો ૮મી જુલાઈ ૧૯૧૦. પોતાના આ પ્રયાસમાં સાવરકરજી ભલે અસફળ થયા પણ તેમની સમુદ્રમાં મારેલી એ છલાંગનું એક ઐતિહાસિક મહત્વ છે...

Biography Of Birsa Munda | અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર આદિવાસી વીરપુરૂષ ભગવાન બિરસા મુંડાની કહાની

Biography Of Birsa Munda | એક સમય જ એવો આવ્યો કે બિરસાના માતા-પિતા અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો. કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પુજાય છે. ધરતી આબા એટલે કે ‘જગત પિતા’ તરીકે એક એક આદિવાસી એમને માન આપે છે...

પ્રકરણ-૩ । આપ્ટે સંઘના સક્રિય કાર્યકર્તા બની ગયા. થોડા સમય પછી સંઘ કાર્યાલય એમનું ઘર બની ગયું.

યાદવરાવને સંઘજીવનનો પહેલો ગણવેશ બાબાસાહેબે જ બનાવી આપ્યો હતો...

પ્રકરણ ૨ | ...અને ઉમાકાન્તે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો

આપ્ટે માસ્તરે શાંતિથી કહ્યું, ‘સાહેબ ! મને માફ કરો. તમે મારા કરતાં મોટા છો. તમારું અપમાન કરવાની મારી લગીરેય કલ્પના નથી, છતાંય કહું છું કે જે શાળામાં લોકમાન્ય ટિળક જેવા મહાન દેશભક્તનું નામ લેવાની પણ મનાઈ હોય એ શાળામાં એક પળ પણ રહેવાની મારી પોતાની ઇચ્છા નથી.’ આવો સણસણતો જવાબ આપી, પોતાનું રાજીનામું આચાર્યના મેજ પર મૂકી તેઓ શાળાની બહાર ચાલ્યા ગયા...

પ્રકરણ - ૧ । મુખ્ય શિક્ષકે આખા ક્લાસ વચ્ચે ઉમાકાન્તને ઉતારી પાડતાં કહ્યું, "જોયો મોટો દેશભક્ત, આ મહાશયને લોકમાન્ય ટિળકનું ભાષણ સાંભળવા જવું છે

ખૂબ વાર વિચાર કર્યા પછી મને મારી જાત પર જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં મારી પોતાની ભર્ત્સના કરી, કહ્યું, ‘આવા કમજોર મનથી શું થવાનું છે ? સાહસ ન હોય તો દેશસેવાનું કોઈ કામ થઈ શકે નહિ. જે લોકો દેશસેવા કરે છે, તેઓ સંકટોનું પણ સ્વાગત કરે છે. એનો સામનો કરે છે અને એ પછી જ એમના પગ આગળ ઊપડે છે, પણ મારામાં તો આવી લાયકાત નથી. હું નિરાશ થઈ ગયો...