માનસમર્મ : બધા અભાવમાં શાંત સ્વભાવ રાખે એનું નામ સંત - મોરારિબાપુ
યશોધરા બુદ્ધને સવાલ કરે છે કે સમૃદ્ધ રાજનો ત્યાગ કરીને આપે સંન્યાસ લીધો એ ઉત્તમ ધર્મકાર્ય કર્યું. રાજનો થોડો હિસ્સો સ્વીકાર્યો હોત અને થોડી સંપતિ હોત તો આ રોજ ભિક્ષા માંગવા જવું ન પડત. બીજા પાસે હાથ લંબાવીને સમાજનું ઋણ માથે શું કામ ચડાવવું ? બુદ્ધે કહ્યું, તમારી જિજ્ઞાસા સારી છે. તમે આ પ્રશ્ર્ન સિદ્ધાર્થને કર્યો છે. બુદ્ધને કર્યો હોત તો જવાબ આપોઆપ મળી જાત. સંન્યાસ એટલે વૈરાગ્ય. સંન્યાસની પૂર્વશરત અહંકારનો છેદ. ભિક્ષા માંગવાનો અર્થ આપણાથી સમાજ મોટો છે, આપણે સમાજથી નહીં. સમાજને ઉપદેશ આપીને ..