નવલકથા

પ્રકરણ – ૧૯ । એ સાથે જ `વંદે માતરમ્'ની જવાબદારી ભગિની નિવેદિતાએ લીધી

પહેલી ઘોડાગાડી બંગલાના ફાટક પાસે ઊભી રહી ત્યારે બન્ને કિશોરો વાઘની જેમ કૂદી પડ્યા. ખુદીરામે સાથે લાવેલો બોંબ ઘોડાગાડીની અંદર ઝીંકી દીધો...

પ્રકરણ – ૧૮ । મારો દૃઢ વિશ્વાસ છે કે વંદે માતરમ્ વિરુદ્ધની આ કાયદાકીય કાર્યવાહી અન્યાય તથા રાષ્ટ્રદ્રોહ છે

`વંદે માતરમ્'ના તોફાની સંતાનોને ઠેકાણે લાવવાનો એમણે પોલીસને આદેશ આપ્યો. આદેશ મળતાં જ પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો. લોકો ચારે તરફ દોડ્યા. કેટલાક પડી ગયા, એમને લાતો મારવામાં આવી. કેટલાકનાં માથાં ફૂટ્યાં, લોહી વહેવા લાગ્યું...

પ્રકરણ – ૧૭ । ... તામિલનાડૂના લોકોએ એક સ્વદેશી જહાજ કંપની શરૂ કરવાનું સાહસ દેખાડ્યું

પોલીસની વચ્ચે મેજિસ્ટ્રેટ કોકસ સાહેબને જોતાં જ એક યુવાને હાથ ઊંચો કરીને વંદેમાતરમ્ કહ્યું. વંદેમાતરમ્ સાંભળીને સાહેબ નારાજ થઈ ગયો. એમણે એ યુવકનો ચાબુકથી ફટકારવાનો આદેશ આપ્યો...

પ્રકરણ – ૧૬ । એ સમયથી જ હું સ્વતંત્રતા આંદોલનનો મહામંત્ર બની ગઈ

તીર્થાટન ચાલુ રહ્યું. ભારતવર્ષની પ્રાચીનતમ નગરી વારાણસી તથા પ્રયાગમાં હું પહોંચી. ધર્માંધ ઔરંગઝેબનાં મૂળિયાં સહિત ઉખાડી નાખવાના અનેક પ્રયત્નો છતાં કાળને પણ આહ્વાન આપીને વધતાં જતાં એ વટવૃક્ષને મેં આંખ ભરીને જોયું...

પ્રકરણ – ૧૫ । મંત્રની સાથે સાથે હું શસ્ત્ર બની ગઈ

બંગાળની જેમ મહારાષ્ટ્રમાં પણ મારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મારું નામ લેવું એ સજાપાત્ર ગુનો ગણાવા લાગ્યો. પરંતુ સરકારી પ્રતિબંધને માનતું કોણ હતું? કૃષ્ણના જન્મ પહેલાંથી જ કંસે એને જેલમાં પૂર્યો હતો. પરિણામ શું આવ્યું?..

પ્રકરણ – ૧૪ । કાશીના ગંગાના પ્રવાહને કોણ રોકી શકે છે? એ જ રીતે મને પણ કોઈ રોકી શક્યું નહીં

હિંદુસ્થાનની સેવા માટે તારું હિંદુત્વકરણ કરવાનું છે. તારા પૂર્વજીવનને ભૂલી જજે' એવા આદેશ સાથે ગુરુએ એને આત્મસાક્ષાત્કાર કરાવીને, નિવેદિતા સ્વરૂપે માતાના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી...

પ્રકરણ – ૧૩ । એમણે ભારતના રાષ્ટ્રગાન તરીકે મારી સંપૂર્ણ પ્રસ્તુતિ કરી. એ મારા જીવનની ધન્યતાની ઘડી હતી

એ જ સમયમાં ઇન્ડિયા હાઉસના સ્થાપક શ્યામજી કૃષ્ણ વર્મા યૂરોપથી મારા નામે એક માસિક પત્રિકાનું પ્રકાશન કરી રહ્યા હતા. એના સંપાદક હતા લાલા હરદયાળ. પહેલો અંક જીનિવા તથા શેટરડોમથી પ્રકાશિત કરવામાં આવ્યો...

પ્રકરણ – ૧૨ । બારિસાલની ઘટના જ મને સૌથી પહેલાં જનમહાસાગરમાં ખેંચી ગઈ

બંગાળના બાબુઓ લાંબા સમયથી ગુલામીના ગાડે જોતરાયેલા હતા અને ક્ષત્રિયત્વને ભૂલીને કારકુન બની ગયા હતા...

પ્રકરણ – ૧૧ । મારા નામના ઉદઘોષથી ચારે દિશાઓ નિનાદિત થઈ ઊઠી

ક લાઠી સામે દસ વાર એ હિસાબે બધાના કંઠે મારું નામ લેવાતું રહ્યું. લાઠીઓ તૂટી ગઈ, લોકો હઠયા નહીં, એકબીજાના હાથ પકડીને માનવસાંકળ રચીને જમીન પર બેસી ગયા. કોઈ દોડાદોડ નહીં, રણચંડિકાની જેમ હું અંતરિક્ષમાં વિલસિત થઈ...

પ્રકરણ – ૧૦ । `વંદે માતરમ્' બોલનારને ઘોડી સાથે બાંધી ચાબૂક મારવામાં આવતા

બારિસાલ ઢાકા જેવું મોટું શહેર નહોતું. પોતાની સફળતાનાં બણગાં ફૂંકવા માટે દુઃસાહસ કરી બેસનારા શાસકોનો ધીરજથી સામનો કરવાની પરંપરા આ શહેરની વિશેષતા છે. એક વિરોધ સભામાં યુવકોએ લૉર્ડ કર્જનનું પૂતળું બાળ્યું હતું...

પ્રકરણ – ૯ । ...અને વંદે માતરમ્‌ પર પ્રથમ વખત પ્રતિબંધ લાગ્યો

મારા દેશવાસી બંગાળીઓએ સરકાર પ્રત્યે અનાદર દર્શાવ્યા વિના કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર શાંતિપૂર્ણ રીતે વિરોધ તથા પ્રતિરોધનું આંદોલન ચલાવ્યું...

પ્રકરણ – ૮ । અને બ્રિટિશ યંત્રને અમલમાં મૂકવા માટે એક નિર્દય કસાઈ કર્જનને મોકલવામાં આવ્યો હતો

સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એ સમાચારપત્રોની સેવાને પણ અમર સૈનિકો સાથે યાદ કરવાનું આપણું કર્તવ્ય છે. એમણે - ભવિષ્યમાં કોઈ મૅડલ મળવાની અપેક્ષા રાખ્યા વગર કર્તવ્યભાવનાથી સેવા કરી હતી...

પ્રકરણ – ૭ । મારું પ્રથમ ચરણ દેશ છે, બીજું જન છે તથા ત્રીજું ચરણ ધર્મ છે

પોતાની ધરતીમાં સોનું પકવવા માટે રાજા જનકે જ્યારે હળ ચલાવ્યું ત્યારે ધરતીમાંથી સીતા પ્રકટ થઈ. લોકોએ એને જનકની પુત્રી કહી. મારો જન્મ પણ લગભગ એ જ રીતે થયો...

પ્રકરણ – ૬ । એ કાળપ્રવાહમાં મેં ભારતમાતાની સ્વર્ણિમ મૂર્તિનાં દર્શન કર્યાં

સ્વતંત્રતા સંગ્રામનો પહેલો વિસ્ફોટ થયો ત્યારે પિતાજીની ઉંમર ૧૬ વર્ષની હતી. એ સમયનાં સમાચારપત્રોમાં સરકારની ઇચ્છાને અનુકૂળ હોય એવા જ સમાચારો છપાતા હતા. એટલે.....

પ્રકરણ – ૫ । મારા પિતાજી માનતા કે સોનાની લંકા કરતાં આપણી અયોધ્યા જ વધુ આનંદ આપનારી છે

શ્રી અરવિંદે એને ગદ્યસાહિત્યની મહાન શૈલી કહી છે. એમની રચનાઓમાં બંગાળી ભાષાની સંગીતાત્મકતા તથા સંસ્કૃતિની ગંભીરતા બન્નેનો સુભગ સંગમ છે...

પ્રકરણ - ૪ । અંગ્રેજોએ આપણી યજ્ઞશાળાઓનો નાશ કરીને સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા

એ જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મારા સુવર્ણદેશ બંગાળના ગદ્ય સાહિત્યના પિતામહ છે અને મારા પિતાજી પણ છે....

પ્રકરણ – ૩ । મારા જન્મથી ૨૧ વર્ષ પહેલાંની આ કથા છે

મારા પ્યારા દેશવાસીઓ, ચાલો હવે હું બંગાળની કથા શરૂ કરું. બંગાળની શિરોમણિ દેવી એક વિચિત્ર મહિલા હતી. વીરાંગના રાણી લક્ષ્મીબાઈના રણભૂમિમાં ઊતરવાનાં ૫૭ વર્ષ પહેલાં એ વીરાંગનાએ ઘવાએલી વાઘણની જેમ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો...

પ્રકરણ – ૨ । હવે હું મારા દેશવાસીઓને એક પરમસત્ય કહેવા માંગું છું

સત્ય છુપાવીને ઇતિહાસને તોડી-મરોડીને લખવો એ વેપારી વૃત્તિના પશ્ચિમી લોકોની વૃત્તિ છે. એલિઝાબેથ તથા વિક્ટોરિયાના લોકો પણ એમાં પાછા પડે એવા નહોતા...

પ્રકરણ - ૧ । જન્મદિવસની ભેટ । આવો, `વંદે માતરમ્'ની આ અનોખી આત્મકથા માણીએ...

હા, અંગ્રેજોએ નહીં, ભારતના લોકોએ જ ભારતને ગુલામ બનાવ્યું છે!' ભગવાને કુરુક્ષેત્રની રણભૂમિમાં યોગ્ય જ કહ્યું છે - હું જ મારો બંધુ અને હું જ મારો શત્રુ છું...