પરીક્ષિત : શ્રી કૃષ્ણની કૃપાથી જન્મનાર, જન્મ પહેલા જગતને જાણનાર, મોક્ષગતિને પામનાર, શ્રીમદ ભાગવતના ઉત્તમ શ્રોતા
શ્રીમદ્ ભાગવતના માહાત્મ્યમાં ભાગવતકાર આ સવાલ મૂકે છે. સ્થૂળ અર્થમાં જોઈએ તો ભાગવત કથા જેને ઉદ્દેશીને કહેવાઈ છે એ રાજા પરીક્ષિત છે, જેને ઋષિના શ્રાપને લીધે સાત દિવસમાં તક્ષક નાગ દંશ દેવાનો છે. પણ સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો આપણે સૌ, પરીક્ષિત જ છીએ. પરીક્ષિતનો અર્થ છે પ્રભુનાં દર્શન માટે આતુર એવો જીવ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ર્ચિત છે એટલે કે ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે એમ તક્ષક તો કોઈનેય છોડવાનો નથી. ફર્ક માત્ર એટલો છે કે આપણને એ ખબર નથી કે ક્યારે ? જ્યારે રાજા પરીક્ષિતને ખબર હતી કે બરાબર ..