રામાયણની ચરિત્રકથાઓ

મહર્ષિ વાલ્મીકિ - રામાયણના રચયિતા

વાલિયો બોલ્યો, ‘‘હું મારા પરિવારના ભરણપોષણ માટે આ બધું કામ કરું છું. આ ધનમાંથી જ હું તેઓ માટે ભોજન અને અન્ય સુવિધાઓ ખરીદું છું.’’..

દશરથ રાજા - અયોધ્યાનગરીનાં રાજા શ્રી રામના પિતા

રાજા દશરથ અમાપ બળ, બુદ્ધિ અને સમૃદ્ધિને કારણે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતા. તે પ્રજાની સુખાકારીનું હંમેશાં ધ્યાન રાખતા...

શ્રવણ - દશરથના શબ્દવેધી તીરે જેના પ્રાણ હર્યા

શ્રવણ રામાયણનું એક મહત્ત્વનું પાત્ર છે. ઇતિહાસમાં માતૃ-પિતૃભક્તિ માટે શ્રવણકુમારનું નામ અમર છે. શ્રવણના માતા અને પિતા બન્ને અંધ હતા. અંધ માતા-પિતાની ચાર ધામોની યાત્રા કરવાની ઇચ્છાની જાણ થતાં નિર્ધન એવા શ્રવણકુમાર તેમને કાવડ બનાવી યાત્રા કરાવવા માટે નીકળી પડે છે. ..

કૌશલ્યા - શ્રી રામનાં માતા

કૈકેયી, તારે પુત્ર ભરતને ગાદી અપાવવી હતી તો એમાં અમે કોઈ વિરોધ ન કરત. રામને તો ભરત માટે આવું કરતાં અત્યંત ખુશી થાત...

કૈકેયી - ભરતનાં માતા

મંથરાની કાનભંભેરણીથી ધૈર્યવાન, બહાદુર, રામને પોતાના ભરત કરતાં વધારે ચાહનારા કૈકેયીની બુદ્ધિ પણ ફરી ગઈ...

સુમિત્રા - લક્ષ્મણ અને શત્રુઘ્નનાં માતા

મારો પુત્ર લક્ષ્મણ શ્રીરામ માટે યુધ્ધમાં લડતાં ઘવાઈને મૂર્છિત પડ્યો છે. હું ધન્ય થઈ ગઈ. લક્ષ્મણે મને પુત્રવતી હોવાનું ગૌરવ અપાવ્યું છે...

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ

એક યુવાન ગુરુ, માતા-પિતા, સ્વજનો, રાજ્યની પ્રજા અર્થાત્ રાષ્ટની સેવામાં પોતાના જીવનને કેમ ઢાળવું તેનું પ્રત્યક્ષ ઉદાહરણ શ્રીરામ છે...

જનક રાજા અને સુનયના - સીતાજીનાં માતા-પિતા

મિથિલાનગરીમાં શુકદેવજી અને રાજા જનક વચ્ચે જ્ઞાનની પરીક્ષા માટે જે વાર્તાલાપ થયો તે અદ્ભુત છે...

સીતા માતા - રાજા જનકના પુત્રી શ્રી રામનાં ધર્મપત્ની

સીતાજીનું પાત્ર એક આદર્શ પતિવ્રતા નારી, આદર્શ માતા, પરિવારમાં પ્રેમ ઉજાગર કરનાર, નારીશક્તિ સ્વરૂપે હંમેશા ચિરસ્મરણીય રહેશે...

માંડવી અને શ્રુતકીર્તિ - માતા સીતાની બહેન

વાલ્મીકિ રામાયણ મુજબ સીતાની બહેન ઊર્મિલા હતી. આ સિવાય પણ સીતાને માંડવી અને શ્રુતકીર્તિ નામની બે બહેનો હતી. આ બન્ને કન્યાઓ જનક રાજાના નાના ભાઈ કુશદ્વાજની પુત્રી હતી. આ સિવાય સીતાને મંગલદેવ નામનો એક ભાઈ પણ હતો. તે પણ ધરતી માતાનો પુત્ર હોવાનું મનાય છે...

લક્ષ્મણ - શ્રી રામના ભાઈ

સામાજિક બંધનોની સુખ-સાહ્યબીનો ત્યાગ કરીને લક્ષ્મણ, શ્રીરામ સહિતનાં રામાયણનાં તમામ પાત્રોથી આગળ નીકળી ગયા છે...

ભરત - કૈકયીના પુત્ર - શ્રી રામના ભાઇ

ભરત ન રડે તો શું કરે ? કૈકયી, રાજા દશરથ, કુલગુરુ વશિષ્ટે મને ન ઓળખ્યો તેનું દુઃખ નથી પણ મારા રામચંદ્રે મને ન ઓળખ્યો તેનું મને ભારે દુઃખ છે !..

શત્રુઘ્ન - શ્રીરામના ભાઈ

શત્રુઘ્નનો અર્થ છે શત્રુને હણનાર, એને જીતનાર. શત્રુઘ્ન નામ પ્રમાણેનો આ ગુણ તો ધરાવતા જ હતા, તો એણે મોહને જીત્યો હતો. ..

ઊર્મિલા - લક્ષ્મણનાં પત્ની

રામાયણનાં ઊર્મિલા એટલે પતિથી ઉપેક્ષિત નહીં પણ મજબૂત મનોબળ ધરાવતી મહિલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ...

શાંતા - શ્રી રામના બહેન

વાલ્મીકિ રામાયણ મુજબ શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની પુત્રી હતી. તેણીને કૌશલ્યાની બહેન વર્શિણી અને તેમના પતિ અંગ દેશના રાજા રોમપદે દત્તક લીધી હતી. કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. જ્યારે શાંતા મોટી થઈ, તો તેણીને વેદ, કળા અને શિલ્પનું ઘણું જ્ઞાન હતું. ..

વસિષ્ઠ અને વિશ્ર્વામિત્ર

ઋષિ વસિષ્ઠ મહાન સપ્તઋષિઓમાં એક છે. તેઓ સાતમા અને અંતિમ ઋષિ હતા. વાલ્મીકિ રામાયણમાં તેમનો ઉલ્લેખ શ્રીરામના ગુરુ તરીકે છે અને તેઓ અયોધ્યાના કુલગુરુ પણ હતા. ..

તાડકા રાક્ષસી - મારીચની માતા

કોઈ કાળમીંઢ વાદળું વન ઉપરથી ચડી આવતું હોય એવો આકાર રામ-લક્ષ્મણની નજરે પડ્યો. લક્ષ્મણે રામને ચેતવ્યા : ‘આવી મોટાભાઈ, રાક્ષસી હાં ?’..

અહલ્યા - ગૌતમ ઋષિના શાપિત પત્ની

અહલ્યાજીનો ઉલ્લેખ ‘શતપથ બ્રાહ્મણ’માં ‘અહલ્યા મૈત્રી’એ નામથી મળે છે. તદનુસાર અહલ્યા મુદ્ગલની પુત્રી અને બ્રહ્માની માનસપુત્રી મનાય છે. બ્રહ્મદેવે તેને અદ્ભુત રૂપ પ્રદાન કર્યું હતું. એનામાં ‘હલ્ય’ એટલે કે કદરૂપાપણું ન હોવાને કારણે તેનું નામ અહલ્યા રાખવામાં આવ્યું. ..

પરશુરામ - શ્રીરામને યુદ્ધ માટે લલકારનાર

પરશુરામની શક્તિ પણ હણાઈ ગઈ અને તેઓ પામી ગયા કે રામ પોતે સાચેસાચ જ વિષ્ણુનો અવતાર છે...

મંથરા - કૈકયીની કાનભંભેરણી કરનાર દાસી

દાસત્વ અથવા સેવાકાર્યમાં પણ લેશમાત્ર જો દુર્બુદ્ધિ કે સ્વાર્થ પ્રવેશે તો કેવાં માઠાં પરિણામ આવે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ મંથરા છે. ..

નિષાદરાજ અને કેવટ - વનવાસ દરમિયાન શ્રીરામની મદદ કરનાર

મેં તમને ગંગા પાર કરવામાં મદદ કરી. કાલે જ્યારે હું તમારી પાસે ભવસાગર પાર કરવા માટે આવું ત્યારે મને જરૂર મદદ કરી દેજો.’’..

સતી અનસૂયા મહર્ષિ અત્રિ અને અગસ્ત્ય - શ્રીરામ - સીતાને શાસ્ત્ર-શસ્ત્રો પ્રદાન કરનાર

આપણે સૌએ અવકાશમાં સપ્તર્ષિ તો જોયા જ હશે. આ સપ્તર્ષિનાં સાત ઋષિમાંના એક ઋષિ એટલે અત્રિ ઋષિ અને અત્રિ ઋષિનાં પત્ની અનસૂયા. અત્રિ ઋષિનો ઉલ્લેખ અનેકવાર ઋગ્વેદમાં મળે છે. ઋષિ અત્રિનાં સતી અનસૂયા સાથે લગ્ન થયાં. સતી અનસૂયાને પણ સાત પતિવ્રતાઓમાં એક ગણવામાં આવે છે...

વિરાધ - કુબેરના શાપે જેને રાક્ષસ બનાવ્યો હતો

એ મનુષ્યો, તમે હજી આ વિરાધ નામના રાક્ષસને ઓળખતા નથી ? આમ કહી રાક્ષસે ભયંકર ત્રાડ નાખી. આખુંય વન કંપી ઊઠ્યું...

મારીચ - સીતાહરણમાં રાવણની મદદ કરનાર

મારીચ રામાયણનો માયાવી રાક્ષસ હતો. તે તાડકા રાક્ષસી અને સુન્દ રાક્ષસનો પુત્ર હતો. કહેવાય છે કે, ભલે તે રાક્ષસ કુળમાં જન્મ્યો હતો, પરંતુ તે ધર્મપ્રિય હતો અને શ્રીરામનો મોટો ભક્ત હતો. ..

શૂર્પણખા અને ખર, દૂષણ - રાવણની બહેન અને પિતરાઈ ભાઈઓ

શ્રી રામ વિનમ્રતાથી બોલ્યા, ‘‘હું અયોધ્યાના રાજા દશરથનો પુત્ર રામ છું. આ મારો ભાઈ લક્ષ્મણ છે. તેમજ કુટિરમાં દેખાતી પેલી સ્ત્રી મારાં પત્ની સીતા છે. હું મારા પિતાના આદેશથી ચૌદ વર્ષનો વનવાસ ભોગવવા અહીં આવ્યો છું. તમારું નામ શું છે ? તમે અહીં શા માટે આવ્યાં છો ?’’..

કબંધ - ઇન્દ્રના વજ્રપ્રહારથી કુરૂપ બનેલ રાક્ષસ

હે રામ, મને એક ઋષિનો શાપ હતો. એમણે મને શાપમાંથી મુક્તિ આપતાં કહ્યું હતું કે રામના હાથે તારા હાથ કપાશે ત્યારે મુક્ત થઈને સ્વર્ગે જઈશ !..

શબરી - શ્રીરામની અનન્ય ભક્ત

‘‘શ્રમણા ! જે રામની તું નાનપણથી સેવા-પૂજા કરે છે, તે શ્રી રામ સાક્ષાત્ રૂપમાં આજે તારી સામે આવ્યા છે. તું આજે તેમની મન ભરીને સેવા કરી લે.’’..

જટાયુ - રામસેવક પક્ષીરાજ

જટાયુની આ મદદથી સીતાજીમાં પણ શક્તિ આવે છે. બંને જણ રાવણનો સામનો કરે છે. યુદ્ધમાં રાવણનો મુગટ ભોંયભેગો થાય છે...

સંપાતિ - જટાયુનો ભાઈ

‘હું સૂર્યના કિરણોથી દાઝી ગયો હતો. પછી હું મહામહેનતે વિંધ્ય શિખર પર જઈને પડ્યો. છ રાત્રી પછી હું ભાનમાં આવ્યો હતો.’..

શ્રી હનુમાન - પવનપુત્ર - મહાબળવાન રામભક્ત

પ્રભુ ! આજ દિન સુધી આપે મને ક્યારેય અન્યાય કર્યો નથી. હું તો આ મુક્તાહારના મણકાઓમાં આપનાં દર્શન કરવા મથતો હતો...

જામવંત - શ્રી રામસેનાના સેનાપતિ

રામાયણમાં જામવંતનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું છે. કહેવામાં આવે છે કે જામવંત સતયુગ અને ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં પણ હતા. જામવંત એક રીંછ હતા કે કોઈ દેવતાના સંતાન ? જામવંત આટલા લાંબા કાળ સુધી જીવિત કેવી રીતે રહી શક્યા ? આ બધાનો એક અલગ પૌરાણિક ઇતિહાસ છે, પરંતુ અહીં વાત આપણે રામાયણની કરવી છે. ..

વાલી-સુગ્રીવ ક્રિષ્કિન્ધાનગરીના રાજા

કિષ્કિન્ધાના રાજા વાલી એક મહાશક્તિશાળી અને પરાક્રમી વાનર હતા. વાલીના નાના ભાઈનું નામ સુગ્રીવ હતું. વાલીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મું હતું કે જે વ્યક્તિ તેની સાથે યુદ્ધ કરશે તેનું અડધું બળ તેનામાં આવી જશે. તેથી જ બધા લોકો તેનાથી ડરતા હતા. એકવાર રાવણે પણ વાલી સાથે યુદ્ધ કરવાનું સાહસ કર્યું હતું. ત્યારે વાલીએ તેને હરાવીને એક મહિના સુધી પોતાની બગલમાં ભરાવીને રાખ્યો હતો. ત્યારથી જ વાલીનો યશ ત્રણેય લોકમાં ફેલાઈ ગયો હતો. દેવો, યક્ષ, દાનવ બધા વાલીથી ડરી ગયા હતા...

લંકીની - હનુમાનજી સાથે યુદ્ધ કરનાર

હનુમાનજીના પ્રહારથી લંકીની લોહીની ઊલટીઓ કરવા લાગે છે અને જમીન પર ચત્તીપાટ પડે છે. તે ઊઠે છે અને હનુમાનજીની હાથ જોડી માફી માગી હનુમાનજીને લંકામાં પ્રવેશવાની પરવાનગી આપે છે...

સિંહિકા - જેણે હનુમાનજીના પડછાયાને પકડી લીધો હતો)

ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન રાવણ સીતા માતાનું હરણ કરી ગયો ત્યાર બાદ રામ અને લક્ષ્મણને હનુમાનજી મળે છે. હનુમાનજી રામના પરમસેવક છે. તેઓ કહે છે કે, ‘પ્રભુ, આપ ચિંતા ન કરો હું માતા સીતાને શોધવા લંકા સુધી જઈશ.’..

અંગદ - રામભક્ત મહાપરાક્રમી

માતા સીતાની શોધમાં વાનરસેનાનું નેતૃત્વ યુવરાજ અંગદે જ કર્યું હતું. રાવણને ત્યાં અંગદને બેસવા આસન પણ નથી અપાતું...

નલ-નીલ - શ્રી રામસેતુ બાંધનાર

ત્યારબાદ નલ અને નીલની મદદથી વાનર સેના સમુદ્ર પર લંકા સુધીનો સેતુ બનાવે છે. તે સેતુની મદદથી શ્રીરામ અને તેમની વાનર સેના લંકા સુધી પહોંચી જાય છે અને લંકા પર વિજય પ્રાપ્ત કરીને સીતા માતાને લઈને પાછા અયોધ્યા પધારે છે...

શ્રીરામની ખિસકોલી - સેતુ નિર્માણમાં શ્રીરામની મદદ કરનાર

ખિસકોલીનું આ કાર્ય જોઈ પ્રભુ શ્રીરામે તેને પૂછ્યું, ‘‘તમે સેતુ પર શું કરી રહ્યાં હતાં ? તમને ડર નહોતો લાગતો ? તમે મોટા વાનરો કે રીંછના પગ નીચે દબાઈ ગયાં હોત તો ?’’..

વિભીષણ - રાવણનો ભાઈ

વિભીષણ શ્રીરામને કહે છે, ‘હે પ્રભુ રામ ! રાવણની નાભિમાં અમૃતકુંભ છે, તેમાંથી અમૃતનો સાથ રાવણથી છૂટે તો તેનો નાશ અવશ્ય છે.’..

ત્રિજટા - વિભીષણનાં પુત્રી

દુષ્ટ રાવણે માતા સીતાનું અપહરણ કર્યા બાદ તેમને અશોક વાટિકામાં કેદ કર્યાં હતાં અને તેમના પર નજર રાખવા માટે અનેક હથિયારધારી રાક્ષસીઓને તૈનાત કરી હતી. આ તમામ રાક્ષસીઓ માતા સીતાને રાવણને વશ થઈ જવા સતત પરેશાન કરતી હતી. તે વખતે એક રાક્ષસી હતી તે હંમેશાં માતા સીતાનો પક્ષ લઈ તેઓને અન્ય રાક્ષસીઓના ત્રાસથી બચાવતી હતી અને તેનું નામ હતું ત્રિજટા...

ઇન્દ્રજિત - મેઘનાદ-રાવણનો પુત્ર

ઇન્દ્રજિત વાનરસેનામાં ભય પેદા કરવા બનાવટી સીતાજીને તેમનો ચોટલો પકડી ઢસડી લાવે છે અને તલવારથી સીતાજીનો શિરચ્છેદ કરે છે...

વૈદ્ય સુષેણ - રાવણના રાજવૈદ્ય જેમણે લક્ષ્મણની સારવાર કરી

વિભીષણના મનમાં સંશય હતો કે સાચે જ સુષેણ વૈદ મદદ કરી રહ્યા છે કે પછી એ એમની અને રાવણની કોઈ ચાલ છે ?..

કાલનેમિ - રાવણનો માયાવી અનુચર

કાલનેમિ એ લંકાપતિ રાવણનો સૌથી વિશ્ર્વાસપાત્ર અને માયાવી અનુચર..

કુંભકર્ણ - રાવણનો ભાઈ

અલ્યા લંકેશ, આજે તને આ થયું છે શું ? હે ભાઈ, યુદ્ધભૂમિ પર હું ગયો નહિ, રામ-લક્ષ્મણને હણ્યા નહિ કે આવ્યો નહિ...

અહિરાવણ - રાવણનો ભાઈ

શિબિરમાં રામ અને લક્ષ્મણ ખોવાઈ જવાની વાત વીજળીની ઝડપે ફેલાઈ ગઈ. શિબિરમાં તો હાહાકાર થઈ ગયો...

કૈકસી અને વિશ્રવા - રાવણનાં માતા-પિતા

આપણું રાજ અને સ્વાભિમાન પાછું મેળવવા માટે એક એવા સપૂતની જરૂર છે જેનામાં બ્રાહ્મણનું તેજ હોય અને રાક્ષસોનું બળ હોય...

રાવણ - લંકાપતિ - લંકેશ

રાવણે કહ્યું, ‘મને કોઈ મારી શકશે નહીં.’ તેથી હું માનવ, દેવ-દાનવ, ગંધર્વ, યક્ષ તથા દસેય દિશાઓમાં વિજય મેળવીશ અને દશાનન કહેવાઈશ...

મંદોદરી - રાવણનાં પત્ની

મંદોદરી વિલાપ કરતાં કહે છે, ‘મહારાજ લંકાપતિ ! હું આપને કહેતી હતી કે સતી સીતાજીને શ્રીરામને શરણે સોંપીને પાપમુક્ત થઈ જાઓ...

મુલકાસુર - કુંભકર્ણનો પુત્ર

‘‘હું તારી મૃત્યુચંડી છું. તેં મારા પક્ષપાતી બ્રાહ્મણને મારી નાખ્યો છે. હવે હું તને મારીને ઋણ ઉતારીશ.’’..

લવ-કુશ - ભગવાન શ્રીરામના પુત્રો

લવ-કુશ ટાંચાં સાધનો વચ્ચે પણ ધનુર્વિદ્યામાં નિપુણ થયા. અન્ય કલાઓમાં પણ તેઓ કુશળ હતા. ..